ધોરણ ૮ વિજ્ઞાન પાઠ-૧૦ (NCERT)
(1) સ્ત્રીઓમાં પ્રજનન ની ઉંમર ની શરૂઆત ત્યારે થાય છે જ્યારે......
A. ઋતુસ્ત્રાવ ની શરૂઆત થાય છે? B. સ્તનનો વિકાસ શરૂ થાય છે.
C. શરીર નો વજન વધે છે. D. શરીરની ઊંચાઇ વધે છે.
(2) કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતા થી ચહેરા પર ખીલ થાય છે?
A. પિટ્યૂટરી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ B. પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલીયગ્રંથિ C. શુક્રપિંડ અને અંડપિંડ D. શુક્રપિંડ અને તૈલી ગ્રંથિ
(3) સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્ત્રાવ ની અસર હેઠળ થાય છે?
A. ટેસ્ટોસ્ટેરોન B. ઈસ્ટ્રોજન C. થાઈરોક્સિન D. એડ્રિનાલિન
(4) કઈ વય જૂથ નો ગાળો તરુણ અવધિનો છે?
A. ૪ થી ૮ વર્ષ B. ૯ થી ૧૫ વર્ષ
C.૧૧ થી ૧૮ વર્ષ D. ૨૧ થી ૨૮ વર્ષ
(5) મોટી ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની પ્રક્રિયા ને શું કહે છે?
A. રજોદર્શન B. રજોસ્ત્રાવ
C. રજોનિવૃત્તિ D. યોવાનાત
(6) મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રો ની કેટલી જોડ હોય છે?
A. ૨૨ B. ૨૩ C. ૪૪. D. ૪૬
(7) જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથી ના અંતઃસ્ત્રાવ ના નિયંત્રણમાં હોય છે?
A. પિટ્યૂટરી B. થાઈરોઈડ
C. એડ્રિનલ D. સ્વાદુપિંડ
(8) અફલિત અંડકોષોમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે?
A. x B. Y C. X કે Y D. આપેલ એક પણ નહીં.
(9) કયા અંતઃસ્ત્રાવની થી ડાયાબીટીસ થાય છે?
A. થાઈરોક્સિન B. ટેસ્ટોસ્ટેરોન C. ઇન્સ્યુલિન D. ઇસ્ટ્રોજન
(10) કઈ ગ્રંથિ ના અંતઃસ્ત્રાવ ને મુક્ત થવા પર પિટ્યૂટરી ગ્રંથિ નું નિયમન નથી?
A. થાઇરોઇડ B. સ્વાદુપિંડ C. જનનપિંડ D. એડ્રિનલ
(11) દેડકામાં કાયાતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે?
A. એડ્રિનાલિન B. વૃદ્ધી અંતઃસ્ત્રાવ
C. ઇસ્ટ્રોજન D. થાઈરોક્સિન
(12) નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે?
A. ટેસ્ટોસ્ટેરોન B. ઇસ્ટ્રોજન C. ઇન્સ્યુલિન D. પ્રોજેસ્ટેરોન
(13) વાયરસ દ્વારા કયો રોગ થાય છે
A. AIDS B. SARS C. ગોઈટર D. ડાયાબિટીસ
(14) નીચેના પૈકી કઈ ખોટી જોડ છે?
A. ઇન્સ્યુલિન - સ્વાદુપિંડ B. ઇસ્ટ્રોજન - અંડપિંડ
C. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ - એડ્રિનલ D. થાઈરોક્સિન - થાઇરોઇડ
(15) કઈ ગ્રંથિ ના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોજન જરૂરી છે?
A. પિટ્યૂટરી B. થાઈરોઈડ C. શુક્રપિંડ D. અંડપિંડ
(1) જાતીય અંતઃસ્ત્રાવો ના ઉત્પાદન નું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે?
(2) સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટતા થતાં રક્તસ્રાવને શું કહે છે?
(3) મનુષ્યના પ્રજનન કોષો માં કેટલા રંગસૂત્રો હોય છે?
(4) એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
(5) મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિ ના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે?
(6) કઈ ગ્રંથિ માથા માં આવેલી છે?
(7) કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે?
(8) ગળાના ભાગમાં આવેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે?
(9) કોનો પુખ્ત પ્રાણી દેડકો છે?
(10) AIDS કયા વાયરસથી થતો રોગ છે?
Comments
Post a Comment